Read Time:1 Minute, 4 Second
સારા ન્યુઝ, નર્મદા
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાર્થીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાઈ કે જેમાં ડૉમ શેલ્ટર, મોબાઈલ ટોઈલેટ, પીવાના શુદ્ધ પાણી માટે વૉટર સ્ટેશન, મેડિકલ યુનિટ અને એમ્બ્યુલન્સ સેવા, પૂરતી લાઈટિંગ વ્યવસ્થા તેમજ ઈમર્જન્સી હેલ્પલાઈન પોઈન્ટનો સમાવેશ.
ઉપરાંત, વિશાળ વૉટરપ્રૂફ ડોમ, બેઠક વ્યવસ્થા, સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોક રૂમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ; રાજ્ય સરકાર, યાત્રાધામ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા સુવ્યવસ્થિત આયોજનને કારણે દર વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો.
