મહુડાના ફૂલોને મૂલ્યવર્ધન કરી ઔષધીય ગુણો સાથે લાડુ, ચોકલેટ, સાબુની બનાવટો મેળાની આદિવાસી અસ્મિતા

મહુડાના ફૂલોને મૂલ્યવર્ધન કરી ઔષધીય ગુણો સાથે લાડુ, ચોકલેટ, સાબુની બનાવટો મેળાની આદિવાસી અસ્મિતા
Views: 22
0 0

Read Time:2 Minute, 2 Second

રાષ્ટ્રીય ઉદ્યોગ મેળો વસરાઈ

સારા ન્યુઝ, સુરત

        સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાઈ રહેલા રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો લોકલ ફોર વોકલ, સ્વદેશી અપનાવો નું સૂત્ર ખૂબ જ સાર્થક નીવડી રહ્યું છે. વિવિધ દેશી બનાવટોની વસ્તુઓના વેચાણ થકી આદિવાસીઓ માટે રોજગારીનો અવસર મળ્યો છે. ખાસ કરીને મહુડાના ફૂલોને ની મૂલ્યવર્ધિત બનાવટોએ આદિવાસી અસ્મિતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. આયુર્વેદમાં મહુવાના ઝાડ અને તેના ફૂલ આરોગ્યની દ્રષ્ટિએ અકસીર ગણાય છે. મહારાષ્ટ્ર પૂનાના ભાવના ઇલપાચી મહુડાના ફૂલોને મૂલ્યવર્ધન કરીને વિવિધ બનાવટો બનાવી રોજગારી મેળવી રહ્યા છે. 

  તેઓ કહે છે કે, મહુડાના ફૂલનું મૂલ્યવર્ધિત તેલ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે કમરદર્દ, ઘૂંટણના દુખાવામાં, સ્ત્રીઓને માસિક ધર્મ મુશ્કેલી દૂર કરે છે. મહારાષ્ટ્રમાં બધા સ્થળે મળે છે. મહુડાના ફૂલોના લાડુ, ચોકલેટ સ્વાદ ની સાથે આરોગ્યવર્ધક છે. મહુડાના ફૂલનો સાબુ એક નવી આદિવાસી ઓળખ છે.

        એલએલબીમાં અભ્યાસ કરતી ભાવના ઇલપાચી જણાવે છે કે, તે બીજા આદિવાસી યુવકો, યુવતીઓને મહુડાના ફૂલોની મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવવા તાલીમ આપે છે. મહુડો આદિવાસીઓની કસ્તૂરી ગણાય છે. મહુડાના બીનું તેલ ખાવા માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે. પણ હવે મહુડાની સંખ્યા ઘટી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *