Read Time:1 Minute, 5 Second
સારા ન્યુઝ, સુરત
જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જહાંગીરપુરા ખાતે કાકરાપાર જમણાં કાંઠા મુખ્ય નહેરના સ્ટ્રક્ચરોના નવીનીકરણ કામો અંગે સમીક્ષા બેઠક મળી.
જમણા કાંઠાની મુખ્ય નહેર વચ્ચે ૮ કેનાલ એક્વાડકટ, ૦૩ કેનાલ સાયફન અને ૨૪ ડ્રેનેજ સાયફન સ્ટ્રક્ચરોની પુન:નિર્માણ કાર્ય કરવામાં આવશે.
સુરત શહેરના જહાંગીરપુરા સ્થિત પુરૂષોત્તમ ફાર્મસ જીનીંગ એન્ડ પ્રેસીંગ સોસા.લી. ખાતે સિંચાઈ વિભાગ દ્વારા જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કાકરાપાર જમણાં કાંઠા નહેરના વિવિધ સ્ટ્રક્ચરોના નવીનીકરણ સંબંધિત કામોની સમીક્ષા બેઠક મળી હતી.
