માર્ગ સલામતી માટે જિલ્લાના વિવિધ પુલોનું માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરની વિશેષ ટીમ દ્વારા નિરીક્ષણ હાથ ધરાયું

માર્ગ સલામતી માટે જિલ્લાના વિવિધ પુલોનું માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરની વિશેષ ટીમ દ્વારા નિરીક્ષણ હાથ ધરાયું
Views: 32
0 0

Read Time:1 Minute, 22 Second

સારા ન્યુઝ, જામનગર

  જામનગર જિલ્લામાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં કોઈપણ અકસ્માત કે દુર્ઘટનાને ટાળવા માટે ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગની ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ટીમ હાલ જિલ્લામાં આવેલા વિવિધ પુલો તથા સ્ટ્રક્ચરોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી રહી છે. 

 આ નિરીક્ષણ અભિયાન આગામી એક સપ્તાહ સુધી ચાલશે, જેમાં ટીમ જામનગરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા પુલોનું વિસ્તૃત નિરીક્ષણ અને ઇન્સ્પેક્શન કરશે. પ્રથમ તબક્કામાં, ધ્રોલ-જોડિયા-જાંબુડા પાટિયા રોડ પરના વિવિધ પુલોની ચકાસણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત તેમની મજબૂતાઈ, માળખાકીય મજબૂતી અને સુરક્ષા ધોરણોની ચકાસણી કરવામાં આવી રહી છે. 

   આ કામગીરીમાં જામનગર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી વિજય ગૌસ્વામી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ગાંધીનગરની ટીમ સાથે જોડાયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *